મોતના મુખ સમાન ભાવનગરના આદર્શનગર-વર્ધમાનનગર હાઉસિંગ બોર્ડના મકાનો
અહીં ૫૦૦ થી વધુ જર્જરિત મકાનો હજુ આવેલા છે, તંત્ર દ્વારા ખાલી કરાવી નાખવામાં આવ્યા હતા આ મકાનો. માલિકોને ભાડું આપવામાં આવશે તેવું આપ્યું હતું વચન, ૬ વર્ષમાં એક પણ ભાડું ના ચુકવતા ગરીબ અને મજબુર પરિવારો જુના મકાનોમાં પરત ફર્યા. મોતના મુખ સમા આ મકાનોમાં રહેવા મજબુર છે આ પરિવારો, સ્થાનિક નેતાઓ આ લોકોની સુવિધા માટે નબળા પુરવાર થઇ રહ્યા છે. મિલન કુવાડિયા ભાવનગર શહેરના ભરતનગર, આદર્શનગર અને વર્ધમાનનગર વિસ્તારોમાં ૫૦૦ થી વધુ સરકારી આવાસોના જર્જરિત મકાનોનો આવેલા છે. આ મકાનોની સાવ જર્જરિત હાલત ને લઇ મોટાભાગના લોકોને આ આવાસો તંત્ર દ્વારા આજથી ૬ વર્ષ પૂર્વે ખાલી કરાવવામાં આવ્યા હતા. પરંતુ હજુ ૧૦ જેટલા મજબુર અને ગરીબ પરિવારો આ મોતના મુખ સમાન મકાનોમાં મજબુરીથી વસવાટ કરે છે. ત્યારે આવા પરિવારોને સમયસર સરકારી આવાસો મળશે જે પછી આ જર્જરિત મકાનો જ તેમની કબર બનશે કેન્દ્ર અને રાજ્યસરકાર ગરીબો લોકો માટે આવાસ યોજના હેઠળ મકાનો બનાવી રહી છે. વર્ષ ૨૦૨૪ સુધીમાં તમામ લોકોને ઘરનું ઘર મળી રહે તેવા દાવાઓ સરકાર કરી રહી છે.પરંતુ ભાવનગરમાં સાવ અલગ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારના આદર્શનગર અને વર્ધમાનનગર જેવા વિસ્તારોકે જ્યાં વર્ષો જુના હાઉસિંગબોર્ડના ૫૦૦ થી વધુ મકાનો આવેલા છે.આ મકાનો સાવ ખંડેર જેવા થઇ ગયા છે. જેથી આજથી ૬ વર્ષ પહેલા મોટાભાગના મકાનો ખાલી કરાવી તેમાં રહેતા લોકોને અન્યત્ર ભાડે રહેવા જતા રહેવા અને ભાડું તંત્ર આપશે તેમ જણાવી ખાલી કરાવ્યા હતા. ૬ વર્ષના સમય બાદ પણ કોઈ ભાડું તંત્ર દ્વારા ના ચુકવવામાં આવતા આ ગરીબ પરિવારો ફરી આર્થિક મુશ્કેલીઓના કારણે મોતના મુખ સમા હાઉસિંગબોર્ડના મકાનોમાં રહેવા મજબુર બન્યા છે. Read the full article






