તળાજાના સરતાનપર ખાર વિસ્તારમાંથી રેતી ચોરીના ચાર ટ્રક ઝડપાયા
પોલીસે બાતમીના આધારે રેડ કરી કાર્યવાહી કરી
બ્રિજેશ ગોસ્વામી તળાજા તાલુકાના સરતાનપર ગામના ખાર વિસ્તારમાં ઘણા લાંબા સમયથી ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. આ અંગેની જાણ ખાણ ખનીજ વિભાગને થતા ગઇકાલે મંગળવારે રેઈડ કરી હતી અને મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ રેઈડ દરમિયાન ખનીજ ચોરો ફરાર થઈ ગયા હતાં. પ્રાપ્ત વિગતો મુજબ તળાજા તાલુકાના સરતાનપર ગામના ખાર વિસ્તારમાં મોટાપાયે ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાની બાતમીના આધારે આજે મંગળવારે ખાણ ખનીજ વિભાગ, પોલીસ સહિતના અધિકારી-કર્મચારીઓએ રેઈડ કરી હતી. રેતી ચોરી ઝડપી પાડી હતી. આ રેઈડ દરમિયાન આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. કેટલાક ટ્રક રેતીના ઢગલા કરીને જતા હતા અને કેટલીક ગાડીઓ સ્થળ ફસાઈ ગઈ હતી. ખાણ-ખનીજ વિભાગે 4 ટ્રક અને 640 મેટ્રીક ટન રેતીનો લાખો રૂપીયાનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ મુદ્દામાલ હાલ ખનીજ વિભાગે સીઝ કરી દીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા સ્થળ પર માપણી સહિતની કામગીરી કરવામાં આવશે. Read the full article














