*રાજકોટ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા ભજન* *સમ્રાટ અને ગુજરાતનું ગૌરવ* *હેમંતભાઈ ચૌહાણનું સન્માન* ભારત સરકાર દ્વારા જાન્યુઆરી ની ૨૬ તારીખે દેશના સર્વોચ્ચ એવોર્ડ માટે ની જાહેરાત કરવામાં આવી જેમાં ગુજરાતના ૭ લોકોને પદ્મશ્રી એવોર્ડ માટે જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભજન સમ્રાટ એવા રાજકોટ અને ગુજરાતનું ગૌરવ સમા આદરણીય અને આપણા સૌના સન્માનીય શ્રી હેમંતભાઈ ચૌહાણને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવતા *રાજકોટ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના કન્વીનર મિલન કોઠારી, જિલ્લા ભાજપ પ્રેસ મીડિયા સેલના કન્વીનર અરૂણ નિર્મળ, સાંસ્કૃતિક સેલના સહ કન્વીનર પુષ્પાબેન રાઠોડ, કારોબારી સભ્યશ્રી ઉત્પલ જીવરાજાની, અમિત જુગાટીયા, દિપુ દીદી તેમજ આ તકે સૌરાષ્ટ્ર ભાજપ સાંસ્કૃતિક સેલના મયુરભાઈ ચૌહાણ ની ખાસ ઉપસ્થિતિમા સન્માનીય શ્રી હેમન્તભાઈ ચૌહાણ ના નિવાસ સ્થાને જઈ રૂબરૂમાં તેમને મોંમેન્ટ ,શાલ તેમજ ગણેશજીની મૂર્તિ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતું. હેમંતભાઈ ચૌહાન એ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું છેલ્લા 40 વર્ષથી વધું સંતવાણી દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર અને સંસ્કૃતિને ટકાવવાનું કામ કરી રહ્યો છું. સંતો-મહંતો ના આશિર્વાદથી મને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. સરકારશ્રીએ ખરા અર્થમાં કલાની કદર કરી છે. રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના સાંસ્કૃતિક સેલ દ્વારા મારું આજે સન્માન થતાં હું ખૂબ ખુશ થયો છું સર્વે નો આભાર વ્યક્ત કર્યો હતો . @hemantchauhansinger @mayurhemantchauhan @bjpsanskrutikcell @bjp4gujarat @bjp4india #hemantchauhan (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CpxRRByK1nP/?igshid=NGJjMDIxMWI=














