My ugly drawings
seen from Germany
seen from United States

seen from Türkiye

seen from Russia
seen from Kyrgyzstan
seen from India
seen from Türkiye
seen from India
seen from United States
seen from China
seen from Poland
seen from United States
seen from Malawi
seen from Russia
seen from United States

seen from United States
seen from Germany
seen from United States
seen from United States

seen from United States
My ugly drawings
Neli - kits
Ren ja Ariel - kanad
Vari - kass
સિહોરના કનાડ ગામે ગ્રામજનો રેલવે ટ્રેક પર ઘસી આવ્યા, એક સમયે રેલવેતંત્ર વચ્ચે ઘર્ષણ સર્જાઈ તેવી સ્થિતિ સર્જાઈ
13 નંબર ના ફાટક નીચેનું નાળુ વરસાદી માહોલમાં થયું છે બંધ, કીચડ અને પાણી ભરાય જતા નાળામાં ચાલી શકાય તેવી સ્થિતિ નથી રેલવે ટ્રેકને બીજે પાર ખેડૂતોની 250 એકર જમીનો આવેલી છે, ફાટક ખુલ્લું કરવાની માંગ સાથે ખેડુતો રેલવે ટ્રેક પર ઘસી આવ્યા
બ્રિજેશ ગૌસ્વામી સિહોર નજીકના કનાડ ગામે રેલવેટ્રેક નીચેના 13 નંબરના ફાટકનું અંડર ગ્રાઉન્ડ નાળુ વરસાદી માહોલમાં કીચડ અને પાણીથી ભરાય જતા પાંચ ગામોના ખેડૂતો કે જેની 250 એકર કરતા વધુ જમીનો ટ્રેકને બીજે પાર હોય જેથી આ ગામોના લોકોએ રેલવે ફાટક ખુલ્લું કરવા અથવા આજુબાજુના ફાટક પરથી અવરજવર માટે રસ્તાની માંગ કરતા રેલવેતંત્ર અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ સર્જાઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જોકે બાદમાં મામલો સમજાવટ બાદ થાળે પડ્યો હતો સિહોરના કનાડ સહિતના પાંચ ગામના લોકોને પોતાના ખેતરે જવા માટે રેલવે ટ્રેક પરથી પસાર થવું પડે છે. રાજાશાહી સમયનો આ રસ્તો એટલે કે હાલનું આ 13 નંબરનું ફાટક કે જે ને રેલવેતંત્રએ બંધ કરી અને અંડર ગ્રાઉન્ડ નાળુ બનાવ્યું હતું.આ નાળુ સાંકડું અને મોટો ઢાળ હોય ખેડૂતો પોતાના ગાડામાં નિરણ સહિતનો જથ્થો લઈને અવરજવર કરતા હોય છે પરંતુ હાલ આ નાળા માં ચોમાસાને લઈ નાળામાં ભારે પાણી ભરાય જતા ત્યાંથી ખેડૂતો પોતાના ખેતરે જઇ શકતા નથી. આ ટ્રેકની બીજે પાર 250 એકર જેટલી ખેડૂતોની જમીન હોય
હાલ ચોમાસામાં ખેતી કાર્ય પુરજોશમાં શરૂ હોય અને વરસાદી પાણી નાળા માં ભરાયને કીચડ જામી જતા પાંચ ગામોના લોકોને પોતાના ખેતરોમાં અવરજવર માટે ભારે મુશ્કેલી પડી રહી હોય તેઓ આજુબાજુના ફાટક પરથી જવા આવવા માટેની મંજૂરી ની માંગ કરી રહ્યા છે અથવા હાલનો રેલવેટ્રેક પરનો ઉપરનો રસ્તો અવરજવર માટે ખુલ્લો કરવાની કરી માંગ સાથે થયા એકઠા થયા હતા. જેને પગલે રેલવેના અધિકારીઓ રેલવે પોલીસના કાફલા સાથે ત્યાં ઉપસ્થિત હોય અને ગ્રામજનો દ્વારા ફાટક ખુલ્લું કરવાની પ્રબળ માંગ કરતા રેલવે તંત્ર અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી જેને લઈ પરિસ્થિતિ વણસે તેઓ માહોલ ઉભો થયો હતો ત્યારે સિહોર પોલિસના અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ પણ ત્યાં દોડી ગયા હતા સમગ્ર મામલો થાળે પાડયો હતો
એક સમયે રેલવેના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી સમગ્ર બનાવમાં ખારી ગામ સહિતના આજુબાજુ વિસ્તારના ખેડૂતો રેલવે ટ્રેક પર અચાનક ઘસી આવી બંધ કરેલા રસ્તાને ખોલવાની માંગ કરી હતી અને તે સમયે વાતાવરણ ઉગ્ર બન્યું હતું રેલવેના અધિકારીઓ ગ્રામજનો વચ્ચે બોલાચાલી દરમિયાન સમગ્ર મામલો વધુ બીચકે તેવી સ્થિતિ સર્જાઈ હતી
કે ડી ગોહિલ અને ભરતસિંહ બન્ને બનાવ સ્થળે દોડી ગયા આજ સવારથી કનાડ ગામે બનેલા બનાવને લઈ સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે ટ્રેક પર આવેલા લોકોની એકજ માંગ હતી કે રેલવે દ્વારા જે રસ્તો બંધ કરાયો છે એ ફરી ખુલ્લો કરવામાં આવે જેને લઈ લોકો ટ્રેક પર ઘસી આવ્યા હતા ઘટનાને લઈ સિહોર પોલીસ અધિકારી કે ડી ગોહિલ અને જીલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ બનાવ સ્થળે દોડી જઈને સમજાવટ કરી ઠંડુ પાણી રેડી દઇને લોકોને સમજાવ્યા હતા
ચોમાસામાં પાણી ભરાતા ગામના લોકોને પાટા પરથી જ પસાર થવું પડે છે સિહોરના કનાડ સહિતના પાંચ ગામના લોકોને પોતાના ખેતરે જવા માટે રેલવે ટ્રેક પરથી પસાર થવું પડે છે. રાજાશાહી સમયનો આ રસ્તો એટલે કે હાલનું આ 13 નંબરનું ફાટક કે જેને રેલવે તંત્રએ બંધ કરી અને અંડર ગ્રાઉન્ડ નાળુ બનાવ્યું હતું. આ નાળુ સાંકડું અને મોટો ઢાળ હોઈ ખેડૂતોને પોતાના ગાડામાં નિરણ સહિતનો જથ્થો લઈને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. જ્યારે હાલ આ નાળામાં ચોમાસાને લઈ ભારે પાણી ભરાઈ જાય છે. ત્યાંથી ખેડૂતો પોતાના ખેતરે જઇ શકતા નથી Read the full article
Kannada Actress Kills Brother as He Opposed Her Relationship
સિહોર નજીક આવેલી ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ વાઘાણીની વાડીમાં પાણીની ટાંકી તૂટી પડતા ૨ મહિલાના મોત
એક મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મોત, પાણીની ટાંકી નીચે દબાય જવાથી બંને મહિલા મોતની ભેટી, ગોજારી ઘટનાથી ભારે અરેરાટી
હરેશ પવાર સિહોર નજીક કનાડ ગામની સીમમાં પાણીની ટાંકી ફાટતાં ૨ મહિલા મોત થયા છે. ગામના વાડી વિસ્તારમાં આ મહિલાઓ કપડાં ધોઈ રહી હતી આ દરમિયાન ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં ૨ મહિલાના મોત થયા છે. જેમાં 1 મહિલાનું સિવિલમાં સારવાર દરમિયાન જયારે બીજી મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. મૃતક મહિલાઓના નામ લક્ષ્મીબેન અને મધુબેન હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વરા તપાસ હાથ ધરવામાં આવી છે. સિહોર તાલુકાના કનાડ ગામ વાડી વિસ્તારમાં કામ કરી રહેલી મહિલા પર પાણીનો ટાંકો ધરાશયી થતા દબાઈ જવાથી બે મહિલાઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
વરસાદને કારણે જર્જરિત મકાનો અને જર્જરિત પાણીની ટાંકીઓ પડી જવાની બીકે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે કનાડ ગામના લોકોનું કહેવું છે કે આ વાડીના માલિક ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છે. લક્ષ્મીબેન જાંબુચા અને મધુબેન બાંભણીયા નામની બંને મહિલાઓ વાડીમાં કામે ગઈ હતી અથવા કપડાં ધોવા માટે ગઈ હતી. આ દરમિયાન અચાનક સિમેન્ટ અને ઈંટોથી બનેલી ટાંકી ફાટી અને તૂટી પડતાં બન્ને મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ હતી. પરંતુ સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા હતા એક જ પરિવારની બે મહિલાઓના મોતની ઘટનાથી પરિવારજનો અને સગા સંબંધીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સિમેન્ટ અને ઈંટથી બનાવેલી આ ટાંકી તૂટી પડી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારજનો અને સગા સંબંધીઓ ભાવનગર હોસ્પિટલે દોડી ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતા હોસ્પિટલ દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. Read the full article